સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે શહેરના ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાં દેશી દારૂની મહેફીલ માણતા 11 જેટલા શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડયાં હતાં અને મહિલા સહિત 12 શખ્સો સામે એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂનું વેચાણ તેમજ દારૂ પીવાની સગવડતાઓ પુરી પાડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસ ટીમે ટાવર પાસે આવેલ ખાટકીવાડ વિસ્તારમાં બાતમીના આધારે ચેકીંગ તેમજ રેઈડ કરી હતી. જે દરમિયાન મહિલા શેરબાનુબેન પારડી હાજર મળી આવ્યા નહોતા પરંતુ અન્ય મહિલા શરીફાબને ગફુરભાઈ વિડાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે બહારથી માણસો બોલાવી દારૂની મહેફીલ માણવાની સુવિધાઓ પુરી પાડતા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સ્થળ પરથી દેશી દારૂ 5 લીટર, મોબાઈલ ફોન નંગ-6, રોકડ રકમ સહિત અંદાજે રૂા.34,130નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.તેમજ સ્થળ પરથી મહિલા શરીફાબેન વિડા સહિત 12 શખ્સોને દેશી દારૂની મહેફીલ માણતા ઝડપી પાડયા હતા અને એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર એ-ડિવીઝન પોલીસ મથકથી નજીકના અંતરમાં જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવા છતાં સ્થાનીક પોલીસની બેદરકારી અને ગેરરીતી સામે આવી હતી. તેમજ છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂ વેચાતો હોવા છતાં એ-ડિવીઝન પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથધરવામાં આવી નહોતી. ત્યારે એલસીબી પોલીસે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર જિલ્લા દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું | SatyaNirbhay News Channel
રાધનપુર જિલ્લા દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયું | SatyaNirbhay News Channel
મહાલક્ષ્મી વ્રત 2022: અષ્ટમી તારીખથી શરૂ થશે મહાલક્ષ્મી વ્રત, 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે
મહાલક્ષ્મી વ્રત પણ ભાદ્રપદની અષ્ટમી તિથિથી શરૂ થાય છે.મહાલક્ષ્મી વ્રત આ દિવસથી શરૂ થાય છે અને 16...
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে
কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে সংসদত ভাৰতীয় ন্যায় সংহিতা, ২০২৩ উত্থাপন কৰে যিয়ে ভাৰতীয়...
মাজুলীত চাঞ্চল্যৰ সৃষ্টি কৰা শিশু অপহৰণ কাৰী : মাজুলীৰ উত্তৰ কমলাবাৰী সত্ৰৰ সত্ৰাধিকাৰৰ প্ৰতিক্ৰিয়া
মাজুলীত চাঞ্চল্যৰ সৃষ্টি কৰা শিশু অপহৰণ কাৰী : মাজুলীৰ উত্তৰ কমলাবাৰী সত্ৰৰ সত্ৰাধিকাৰৰ প্ৰতিক্ৰিয়া