સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તેમજ મોરબીના ગૌરક્ષકો દ્વારા ચોટીલા હાઈવે પરથી કતલખાને લઈ જવાતા 9 પશુઓને બચાવી રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં અને ઝડપાયેલ આયશરના ચાલક તેમજ ક્લીનર સામે ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતોઆ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી અવાર-નવાર ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોટીલા અને મોરબીના ગૌરક્ષકોને વાંકાનેર તરફથી અમદાવાદ જઈ રહેલ બે અલગ-અલગ વાહનોમાં પશુઓને કતલખાને લઈ જવામાં આવતાં હોવાની બાતમી મળી હતી જેના આધારે હાઈવે પર અલગ-અલગ જગ્યાએ ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી જે દરમ્યાન એક આયશર પશુ ભરેલ પસાર થતાં તેનો પીછો કરતાં આયશરચાલક પથ્થરો ફેંકી વાહન સાથે નાસી છુટયો હતો જ્યારે અન્ય એક આયશરને ઝડપી પાડી તલાશી લેતા તેમાં ક્રુરતાપૂર્વક પાણી કે ઘાસચારાની સગવડતા વગર બાંધેલી હાલતમાં 8 ભેંસ અને એક પાડા સહિત 9 પશુઓ મળી આવ્યાં હતાં. જે તમામને રાજકોટ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતાં જ્યારે આયશરના ચાલક દાડમસીંગ મેહુલજી સોલંકી રહે.વાંકાનેર તેમજ ક્લીનર ભરતભાઈ મેવાભાઈ સોલંકી રહે.વાંકાનેરવાળાને ચોટીલા પોલીસ મથકે લાવી પશુધારા હેઠળ ગુન્હો દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પશુઓને બચાવવામાં ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ, રધુભાઈ, દિનેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवा नेता शुभम तिवारी जी का माल्यार्पण कर किया गया सम्मान
संविधान निर्माता भारत रत्न डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती कार्यक्रम में नवनियुक्त पदाधिकारियों...
AMIRGADH | અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક સર્જાયો અકસ્માત : અક્સ્માત માં ટ્રેકટર નો થયો ખુરદો
AMIRGADH | અમીરગઢ તાલુકાના ગંગાસાગર નજીક સર્જાયો અકસ્માત : અક્સ્માત માં ટ્રેકટર નો થયો ખુરદો
PM Modi Speech Today: 'कांग्रेस की अपने नेता की गारंटी नहीं', Rajya Sabha में PM मोदी का हमला
PM Modi Speech Today: 'कांग्रेस की अपने नेता की गारंटी नहीं', Rajya Sabha में PM मोदी का हमला
આપ નેતા ઇસુદાન ગઢવી એ કાર્યાલય થિ આપ્યું નિવેદન
આપ નેતા ઇસુદાન ગઢવી એ કાર્યાલય થિ આપ્યું નિવેદન