દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ અજરામર ટાવર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતાની આ જ્યોતને બે મહિના સુધી લંબાવી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકોની શ્રમદાનની શક્તિથી સ્વચ્છતાના દર્શન થઈ રહ્યા છે. આ અભિયાનથી લોકભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા એ માત્ર પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવનશૈલી છે, તેવું લોકો સ્વીકારતા થયા છે. આ સફાઈ અભિયાન નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી
MCN NEWS| दुधाच्या टॅंकरच्या धडकेत १५ वर्षीय किशोर ठार
MCN NEWS| दुधाच्या टॅंकरच्या धडकेत १५ वर्षीय किशोर ठार
'UNSC का स्थाई सदस्य बने भारत', फ्रांस ने खुले मंच से किया समर्थन; चीन-पाक को लगेगी मिर्ची
India UNSC Membership। संयुक्त राष्ट्र सुरक्षा परिषद (UNSC) में भारत की...
કઠલાલ કાણીયેલ ખાતે તાલુકા કક્ષાના સહિત સમગ્ર પંથકમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી
કઠલાલ કાણીયેલ ખાતે તાલુકા કક્ષાના સહિત સમગ્ર પંથકમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE