દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ અજરામર ટાવર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતાની આ જ્યોતને બે મહિના સુધી લંબાવી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકોની શ્રમદાનની શક્તિથી સ્વચ્છતાના દર્શન થઈ રહ્યા છે. આ અભિયાનથી લોકભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા એ માત્ર પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવનશૈલી છે, તેવું લોકો સ્વીકારતા થયા છે. આ સફાઈ અભિયાન નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  तेलंगाना में घर का सपना होगा साकार, सीएम केसीआर आदिवासियों को जमीन के पट्टे और गरीबों को देंगे 2BHK 
 
                      हैदराबाद। तेलंगाना में आदिवासियों को जमीनी पट्टे और गरीबों को घर बांटे जाने की योजना है।...
                  
   વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર 
 
                      વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠકમાં રજૂ થયેલ સાતકામોને મંજૂર
                  
   વડોદરા રેલવેએ છેલ્લાં 9 મહિનામાં ટિકીટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી 97 કરોડનો દંડ વસૂલ્યો 
 
                      વડોદરા રેલવેએ છેલ્લાં 9 મહિનામાં ટિકીટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી 97 કરોડનો દંડ વસૂલ્યો...
                  
   धूमधाम से मनाई जायेगी रामलला के मंदिर की स्थापना वर्षगांठ. 
 
                      अलीगड.कस्बे में आगामी 11 जनवरी को श्री राम मंदिर अयोध्या की प्रथम वर्षगांठ धूमधाम से मनाने को...
                  
   
  
  
  
   
  