સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ગોમટા અને નાના કેરાળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થયું હતું.આ તકે, ગોમટા અને નાના કેરાળા ગામ ખાતેના કાર્યક્રમમાં રથના માધ્યમથી ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. તેમજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું.મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત તેમને મળેલ યોજનાના લાભ વિશે વાત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ‘ધરતી કહે પુકાર કે’ નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આજે વઢવાણ તાલુકામાં બલદાણા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા,બલદાણા ખાતે તેમજ વડોદ ગામમાં બપોરે 2:00 કલાકે પ્રાથમિક શાળા, વડોદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Banaskantha News | 5 કરોડ 94 લાખની મળી રોકડ | Cash recovered | Gujarat News
Banaskantha News | 5 કરોડ 94 લાખની મળી રોકડ | Cash recovered | Gujarat News
ગરબાડા નગરમાં રક્ષાબંધન ના દિવસે પણ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી
ગરબાડા નગરમાં રક્ષાબંધન ના દિવસે પણ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી
Yom Kippur War के 50 साल बाद फिर चकमा कैसे खा गया Israel, Hamas के हमले को भांप क्यों नहीं पाया?
Yom Kippur War के 50 साल बाद फिर चकमा कैसे खा गया Israel, Hamas के हमले को भांप क्यों नहीं पाया?
गांधीधाम-विशाखापट्टनम एक्सप्रेस ट्रेन में जोड़ा जाएगा एक अतिरिक्त स्लीपर कोच
रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए गांधीधाम-विशाखापट्टनम एक्सप्रेस...
વલભીપુર શહેરના પોલીસ ગ્રાઉન્ડ કર્યા આઠમા નવરાત્રી એ માનવમેરામણ ઉમટી પડ્યું
વલભીપુર શહેરના પોલીસ ગ્રાઉન્ડ કર્યા આઠમા નવરાત્રી એ માનવમેરામણ ઉમટી પડ્યું