કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હાલોલ તાલુકા વહીવટી તંત્રના સૌજન્યથી સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા બાપુ બાલકનાથ આશ્રમ (આદેશ આશ્રમ) ખાતે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ, હાલોલ મામલતદાર બી.એમ.જોષી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તેમજ હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિત મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ 2023 નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ 

પરિ-સંવાદ,કૃષિ પ્રદર્શન,પશુ આરોગ્ય કેમ્પ સહિતના અન્ય કાર્યક્રમો તેમજ રવી કૃષિ મહોત્સવ અંતર્ગત સરદાર પટેલ કૃષિ સંશોધન બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ પર કરવામાં આવ્યું હતું. જ્યારે કૃષિ લગતા વિવિધ સ્ટોલો પર કૃષિની માહિતી પ્રદાન કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જ્યારે આ વિશેષ પ્રસંગે કેટલીક બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી અદ્દભુત નૃત્યનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું જ્યારે આજના આ કાર્યક્રમમાં હાલોલ તાલુકાના અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.