વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.