ડીસામાં દશેરા નિમિત્તે રાજપૂત જાગીદાર ક્ષત્રિય મંચ ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું, ક્ષત્રિય યુવતીએ બે હાથે તલવાર બાજી કરી આજના યુગમાં મહિલાઓને જાતે જ સશક્ત અને લડાયક બનવા માટે સલાહ આપી હતી..

નવરાત્રિના દસમા દિવસે વિજયા દશમીનો તહેવાર ઉજવાય છે, હિન્દુ ધર્મમાં આ તહેવાર નું વિશેષ મહત્વ છે, આ તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જે અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે, આ દિવસે સત્યની જીતે રાવણનો વધ કર્યો હતો, એવું પણ માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસ નો વધ કર્યો હતો..

તે દેશભરમાં અલગ અલગ નામોથી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, જ્યારે ઉત્તર ભારત માં તેને શાસ્ત્ર પૂજન તરીકે ઓળખવામાં આવે છે, દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા સદીઓ જૂની છે અને રજવાડાઓમાં શસ્ત્ર પૂજન ની ખૂબ જ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી..

જે અંતર્ગત આજે ડીસામાં ત્રણ હનુમાન મંદિર ખાતે રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ ગુજરાત દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ધારાસભ્ય પ્રવીણ માળી, ક્ષત્રિય સમાજ ના આગેવાન બહાદુરસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો તેમના શસ્ત્રો એકઠા કરી આ શસ્ત્રો પર કુમકુમ અને ફૂલ અર્પણ કરી પૂજા કરી હતી, આ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવતીએ બંને હાથે તલવારબાજી કરી ક્ષત્રિય સમાજના શોર્યની પ્રતીતિ કરાવી હતી..