21 ઓક્ટોમ્બર એટલે પોલીસ સંભારણા દિવસ,સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ અને પેરમિલીટરી ફોર્સ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.ત્યારે છોટાઉેપુરમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ખૂટા લિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્થાપિત શહીદ સ્મારક ખાતે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી , આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરમાં શહીદ થયેલ તમામ 189 વીર શહીદ પોલીસ જવાનોના નામ બોલી તેમને યાદ કર્યા હતા.