ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ બપોર પછી જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ જશ્ને મિલાદના ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદ ખાતે જુમ્મા મસ્જિદ ના ખતીબ મોલાના અબ્દુલ રશીદ અજીજી દ્રારા દેશમાં અમન શાંતિ, સલામતી અને કોમી એકતા માટે ખાસ દુવાઓ અને મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ સિનીયર પીએસઆઇ જે.ડી.તરાલ તેમજ પીએસઆઇ એન.આર.રાઠોડ અને ટાઉન જમાદાર પર્વતસિંહ સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતમાં કેટલાય નેતાઓને ગબડાવનાર ખૂદ સી આર પાટીલ ગબડી ગયા
ગુજરાતમાં કેટલાય નેતાઓને ગબડાવનાર ખૂદ સી આર પાટીલ ગબડી ગયા
ओरांग राष्ट्रीय उद्यान में एक बृद्ध गेंडा की मृत्यु : पिछलामुख वन शिविर के पास पाया गया मृत गेंडा
ओरांग राष्ट्रीय उद्यान में एक बृद्ध गेंडा की मृत्यु : पिछलामुख वन शिविर के पास पाया गया मृत गेंडा
વડોદરા: રામનાથ ભીમેશ્વર મહાદેવના મંદિરે જામી ભક્તોની ભારે ભીડ
વડોદરા: રામનાથ ભીમેશ્વર મહાદેવના મંદિરે જામી ભક્તોની ભારે ભીડ
પરિવર્તન સંકલ્પ પદયાત્રા
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી નિરવભાઈ બક્ષી દરિયાપુર ના ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખ અને...
ઋણમુક્તેશ્વર મંદિરે ગયેલા દર્શનાર્થીનો ભીડમાં ખિસ્સામાંથી ફોન ચોરાતા ફરિયાદ.
ખંભાત શહેરના માછીપુરા સ્વામીનરાયણ મંદિર પાસે રહેતા ગૌરાંગભાઈ બાબુભાઇ ખલાસી સાંજના સાડા સાતેક વાગે...