ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના પયગંબર હજરત મોહમ્મદ પયગંબર સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં પવિત્ર ઈદેમિલાદ નિમિત્તે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે ઈદેમિલાદ પર્વ નિમિત્તે કાલોલ શહેરના મુસ્લીમ સમુદાયે પણ પોતાની મસ્જિદ, મદ્રેસા, મોહલ્લા, ચોક અને પોત પોતાના મકાનો પર રોશનીથી શણગારીને ઈદેમિલાદની પુર્વતૈયારીઓ કરી હતી. હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાલોલ શહેર મુસ્લીમ બિરાદરોએ બપોર પછી જોહરની નમાજ બાદ નુરાની ચોક સ્થિત જુમ્મા મસ્જીદથી રિફાઇ ગાદી અને અમીરે મિલ્લત મિલાદ કમેટીના નેતૃત્વમાં ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ જશ્ને મિલાદના ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું જે નુરાની ચોકથી પ્રસ્થાન કરી પોલીસ સ્ટેશન, હાઇવે બસ સ્ટેશનથી મેઈન બજારમાંથી પસાર થઈ પાલીકા ભવનના માર્ગે સમગ્ર જુલુસ નુરાની ચોકમાં પરત ફરી જુમ્મા મસ્જીદ ખાતે જુમ્મા મસ્જિદ ના ખતીબ મોલાના અબ્દુલ રશીદ અજીજી દ્રારા દેશમાં અમન શાંતિ, સલામતી અને કોમી એકતા માટે ખાસ દુવાઓ અને મુબારકબાદ પાઠવી હતી.કાલોલમાં ઈદેમિલાદ પર્વની શાંતીપૂર્ણ માહોલમાં જુલુસ યોજવા માટે કાલોલ સિનીયર પીએસઆઇ જે.ડી.તરાલ તેમજ પીએસઆઇ એન.આર.રાઠોડ અને ટાઉન જમાદાર પર્વતસિંહ સહિત પોલીસ સ્ટાફ સહિત એસ.આર.પી જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં આ પર્વની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
With Kamal Nath In Delhi, His Son Nakul Drops Congress From Bio
Bhopal: A day after Madhya Pradesh BJP chairman VD Sharma alleged that Congress leaders were...
Breaking News: Navneet Rana के 15 सेकंड वाले बयान पर भड़की AIMIM, Election Commission से की शिकायत
Breaking News: Navneet Rana के 15 सेकंड वाले बयान पर भड़की AIMIM, Election Commission से की शिकायत
રાધનપુર ખાતે ભાજપ સરકાર સામે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો
રાધનપુર ખાતે ભાજપ સરકાર સામે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો