વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ ધરાશાયી થતા હાલમાં લોકો નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલ વસ્તડી ગામે પુલ ધરાશાઇ થતા ગ્રામજનો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. આ બિસ્માર પુલ અંગે તંત્રને અગાઉ પણ સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી. વસ્તડીથી પગપાળા નદી પાર કરી ખેતરે તેમજ વઢવાણ અને સુરેન્દ્રનગર જવા માટે લોકો મજબૂર બન્યા છે.ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હતો. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ, તે દરમિયાન પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા. અને પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહીત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. અને યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ ડમ્પર ચાલક અને બે બાઇકસવારને રસ્સા વડે ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પુલ ધરાશાયી થવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ટ્રાફિકથી ધમધમતો પુલ અચાનક જ ધરાશાઈ થઇ જતા અફડાતફડી મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Virat Kohli's spat with Naveen-ul-Haq spills over into social media after pair cop fines from BCCI
Royal Challengers Bangalore (RCB) and Lucknow Super Giants (LSG) played out a match that was low...
સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરીમાટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણની પ્રતિક્રિયા
સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરીમાટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણની પ્રતિક્રિયા
চাৰিদুৱাৰৰ চপালগাত বনদস্যুৰ বিৰুদ্ধে পাহাৰত এদল যুৱক
এচাম বনদস্যুৰ বিৰুদ্ধে ওলাই আহিছে এইসকল যুৱক। শোনিতপুৰ জিলাৰ অসম অৰুনাচল সিমান্তৰ চাৰিদুৱাৰৰ...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 28 ರಂದು ಸಿಂಫೋನಿ ಸ್ವರ ಪ್ರತಿಷ್ಠಾನ ವತಿಯಿಂದ "ರಾಜ ಪುನೀತೋತ್ಸವ" ಸಮಾರಂಭ ನಡೆಯಲಿದೆ.
ಏಪ್ರಿಲ್ 25, 2024
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಏಪ್ರಿಲ್ 28 ರಂದು ಸಿಂಫೋನಿ ಸ್ವರ ಪ್ರತಿಷ್ಠಾನ...