કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય લવાણા મુકામે વાલી સંમેલન યોજાયું. આ સંમેલનમાં મુખ્ય અતીથીઓમાં પૂજ્ય ભરતદાસ બાપુ (મહંત શ્રી ખોડિયાર ધામ હેડોડુંગર), સુપ્રસિદ્ધ લોકગાયીકા પૂનમબેન ગોંડલિયા , સાધુ શ્રી જીજ્ઞાબેન ગોંડલિયા ( કથાકાર), દયારામભાઈ ગોંડલિયા , રેખાબેન એલ. પરમાર ( કાઉન્સિલર, મહિલા સપોર્ટ સેન્ટર થરાદ પોલીસ સ્ટેશન ડિવિઝન થરાદ ) , કમળાબેન બ્રાહ્મણ (કોન્સ્ટેબલ થરાદ પોલીસ સ્ટેશન), અમિયાબેન ચૌધરી (કોન્સ્ટેબલ થરાદ પોલીસ), લક્ષ્મીબેન સોલંકી (કાઉન્સિલર , 181 અભ્યમ થરાદ ) વગેરે મહેમાનઑએ કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોએ શિક્ષણ,ધર્મ,સંસ્કૃતિ,મહિલા જાગૃતિ,મહિલા સુરક્ષા,મહિલા યોજના વગેરે જેવા વિષયો પર કેજીબીવીની દીકરીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરૂ પાડયું હતું.