સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा के जगपुरा में सड़क हादसे में तीन लोगों की मौत,मां बेटे और पोते को अज्ञात वाहन ने कुचला
कोटा
कोटा के जगपुरा में सड़क हादसे में तीन लोगों की मौत,
बाइक सवार मां बेटे और पोते को अज्ञात...
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
દાહોદ:- BJP નુ કાર્યલય 'કમલમ'નુ લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના હસ્તે કરવામા આવ્યુ,
ગારીયાધાર ફાસરિયા ગામની ગૌશાળાને 7 લાખની રકમ દાન રૂપે અપાઈ
ગારીયાધાર ફાસરિયા ગામની ગૌશાળાને 7 લાખની રકમ દાન રૂપે અપાઈ
રામેશ્વર નગર ના શેરી ગરબા ખાસ વાંચો અહીંયા
શારદીય નવરાત્રી અંતિમ ચરણો તરફ જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ઝુમિ રહ્યા છે ખેડબ્રહ્મા શહેર...
દહેજ બાયપાસ રોડ ઉપર મનુબર ચોકડી નજીક બસે રોડ ક્રોસ કરતા બાળકને અડફેટમાં લીધો
દહેજ બાયપાસ રોડ ઉપર મનુબર ચોકડી નજીક બસે રોડ ક્રોસ કરતા બાળકને અડફેટમાં લીધો.5 વર્ષીય બાળક પરિવાર...