સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં રાજકોટના કોઠારિયાના સત્યમપાર્ક શેરીનં.3ના રહીશ રાજદીપ જગદીશભાઇ રૈયાણીની ધરપકડ કરાઇ હતી. તેઓએ સુરેન્દ્રનગર કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમના પત્નીને 36 માસનો ગર્ભ હોઇ ગમે ત્યારે દાખલ કરવા પડે તેમ છે. તેમના પિતા પણ હ્રદય રોગથી પીડાય છે.આરોપી નિર્દોષ છે અને ફરિયાદી સાથે સમાધાનની વાત ચાલે છે. આથી જામીન મંજૂર કરવા દલીલ કરી હતી. જ્યારે સરકારી વકૂલ એમ.પી. સભાણીએ દલીલ કરી કે અમલદારે રજૂ કરેલા રિપોર્ટ ધ્યાને લેતા આરોપીના ઘરમાં અન્ય પુખ્ત વ્યક્તિઓ છે અને અરજદારના પત્નીના પિયર પક્ષે પણ દેખરેખ રાખી શકે તેવા વ્યક્તિ હાજર છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરેન્દ્રનગર સેસન્સ જજ પ્રતાપદાન એસ ગઢવીએ જામીન અરજી નામંજૂર કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભાનાં પીપરીયા ગામની ઘટના સસરાએ પુત્રવધુ ના વાળ પકડી ફટકારી
સાસુ ગાળો ભાંડતી, પતિ મહાસય જીણી જીણી બાબતોમાં મેણાં ટોણા બોલી શારીરિક માનસિક ત્રાસ આપતાં....
સાંસદશ્રી પરબતભાઇ પટેલની 75 મી જન્મ જયંતિ અમૃત પર્વની ઉજવણી. ની ખાસ અહેવાલ .. || સબંધ ભારત ન્યૂઝ ||
સબંધ ભારત ન્યૂઝ પર ખાસ અહેવાલ
સાંસદશ્રી પરબતભાઇ પટેલની 75 મી જન્મ જયંતિ અમૃત પર્વની ઉજવણી...
આઝાદ અને આનંદના આઘાત બાદ હુડ્ડાએ કોંગ્રેસ હાઈકમાન્ડને આપી સલાહ
છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ સુધીના દિગ્ગજ નેતાઓથી કોંગ્રેસને ધ્રુજારી મળી...