નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમ અંતર્ગત નૃત્ય ભારતી ડાન્સ એકેડેમી દ્વારા "ભારત હમકો જાન સે પ્યારા હૈ..." ગીત રજૂ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સવા ગ્રુપ, જોરાવરનગર દ્વારા "ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી"ગીત પ્રસ્તુત કર્યું હતુ, જેણે ઉપસ્થિતજનોમા અનેરુ આકર્ષણ જમાવ્યું હતુ. ત્વિષા વ્યાસ એન્ડ ધી ડાન્સિંગ વાયોલીન ગ્રુપ, બારડોલી દ્વારા ભરતનાટ્યમ દ્વારા આઝાદીના વિવિધ ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો. જેને સમગ્ર હોલમાં દેશભક્તિનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. ત્યારબાદ લોક ગાયિકા મનિષા બારોટ એન્ડ ગ્રુપ દ્વારા વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જેને લોકોએ મન ભરીને માણ્યા હતા.આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पेपर लीक पर किरोड़ी लाल मीणा को अहम सबूत देने वाला भूपेंद्र शरण कौन है? 
 
                      किरोड़ी लाल मीणा ने बुधवार को एसओजी दफ्तर में एडीजी वीके सिंह से मुलाकात कर उन्हें पेपर लीक जांच...
                  
   ডিমৌত ৰেলৰ খুন্দাত অচিনাক্ত যুৱকৰ মৃত্যু 
 
                      ৰাজধানী এক্সপ্ৰেছ খুন্দাত এজন অচিনাক্ত যুৱকৰ মৃত্যু। ৰে'ল লাইনত পৰি ৰল ছিন্ন বিছিন্ন অচিনাক্ত...
                  
   થરા કોલજમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 
 
                      થરા કોલજમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
                  
   
  
  
  
   
  