ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામે રહેતા પ્રેમી પંખીડા બે દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જોકે આજે આ બંનેની લાશ હળવદ તાલુકાના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવી છે.ધાંગધ્રા તાલુકાના યુવક-યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોય અને સમાજ એક નહીં થવા દે તેવા ડરને લઈ બે દિવસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, પરિવારજનો પણ આ બંનેની શોધખોળ કરી રહ્યા હોય. તેવામાં આજે આ બંને પ્રેમી યુગલના હાથે દુપટ્ટો બાંધેલી લાશ હળવદ તાલુકાના રણમલપુર પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.ત્યારે આ બનાવને પગલે કેનાલ કાંઠે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સાથે જ આ બનાવની જાણ પરિવારજનોને કરતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને હાલ બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.