ડાંગીયા ગામે ખેતરમાં ચાલવા બાબતે થયેલા માથાકૂટમાં પચાસ વર્ષીય મહિલા અફસાનાબાનું મહમ્મદખાન ઘાસુરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ ગામના જ ત્રણ શખસો વિરૂદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાતા દાંતીવાડા પીએસઆઈ પી.એસ.ચૌધરીએ ત્રણે હત્યારા શરીફખાન નુરમહંમદ ઘાસુરા, નૂરમહંમદ ઈબ્રાહીમખાન ઘાસુરા અને ઈદ્રીસખાન નુરમહંમદખાન ઘાસુરાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.