વઢવાણ તાલુકાનાં ચાર ગામનાં ૧૫૦ થી વધુ ખેડુતોએ કેનેરા બેંકની શાખાએ જઈ પાકધિરાણનું વ્યાજ રીબેટ આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી. કટુડા ગામે આવેલી કેનેરા બેંકમાંથી કટુડા, લટુડા,ભદ્રેશી અને રાજચરાડી સહિત ચાર ગામનાં ૩૦૦થી વધુ ખેડૂતો પાક ધિરાણ મેળવે છે. પાક ધિરાણ પરના ૭ ટકા વ્યાજમાંથી ૪ ટકા વ્યાજ ખેડુતોને રીબેટ આપવામાં આવતુ હોય છે. પરંતુ આ ચાર ગામના ખેડુતોને ૨૦૧૭થી એટલે કે, પાંચ વર્ષથી વ્યાજની રકમ પરત ન મળતા રોષે જણાયેલા ૧૫૦થી વધુ ખેડુતો રજુઆત કરવા બેંકમાં ગયા હતા. જ્યાં અમદાવાદથી આવેલા ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક વ્યાજની રકમ પરત આપવા માંગ કરી હતી. તેમજ યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खेत में गए थे परिवार के लोग, चोरों ने घर में सेंध लगा किए जेवरात चोरी
जिले के गांव संगवाड़ी में चोरों ने एक सूने घर में सेंध लगा कर जेवरात चोरी कर लिए। चोरी की घटना के...
કાંકરેજમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી...!
કાંકરેજમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી...!
પાટણમાં વિવિધ રમત ગતમનું આયોજન કરાયું
પાટણમાં વિવિધ રમત ગતમનું આયોજન કરાયું
બનાસ નદીમાં આધેડ ડૂબી જવાની ઘટના ....
બનાસ નદીમાં આધેડ ડૂબી જવાની ઘટના ....