ચોટીલા તાલુકાના ધારેઈ ગામના રવિભાઈ ખોડાભાઈ જાડા દ્વારા જમીન પચાવી પાડવા અંગે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી. આ અંગે કલેક્ટરની સૂચના બાદ તેમના પરિવારના 3 શખસ વિરુદ્ધ જમીન પચાવવા બાબતે નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચોટીલા ધારેઈ ગામના રવિભાઈ ખોડાભાઈ જાડાની વડીલો પાર્જીત 22 વીઘા જમીન આવેલી છે. તેમાં કુટુંબિક પરિવારના રમેશભાઈ જાડા અને મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા દ્વારા રવિભાઈની જમીન પચાવી પાડી હતી.તેના પર કબજો જમાવી રવિભાઈ સાથે મારપીટ કરી હતી. રવિભાઈ દ્વારા કલેક્ટર, એસપીને પોતાની જમીન પરત મેળવવા લેખિત રજૂઆત કરાઈ હતી. તે બાદ કલેક્ટરના હુકમથી પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી કરાઈ હતી. પરંતુ રમેશભાઈ જાડા, મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા દ્વારા જમીન પર કબજો છોડવા સહમત થયા ન હતા. તેથી ત્રણે વ્યક્તિઓને લેખિત નોટિસ પાઠવી હતી. છતાં જમીન પરનો કબજો ખાલી કર્યો ન હતો. આથી રવિભાઈ જાડા દ્વારા પરિવારને પોલીસ રક્ષણ મેળવવા અને જમીન પરત મેળવવા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ જાડા, મગનભાઈ જાડા અને મહેશભાઈ જાડા વિરુદ્ધ લેન્ડ ગેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ હતી. તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશનના એએસઆઈ ઇબ્રાહમભાઈ ભટ્ટી, સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी जिल्हा प्रमुख अॅड.चंद्रकांत नवले यांनी केलेेवराई मतदार संघातुन ७२०० प्रतिज्ञापत्र दाखल
माजी जिल्हा प्रमुख अॅड.चंद्रकांत नवले यांनी केलेे गेवराई मतदार संघातुन ७२०० प्रतिज्ञापत्र दाखल
પાલીતાણામાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં સ્થાનિક અગ્રણીએ પ્રતિક્રિયા આપી
પાલીતાણામાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં સ્થાનિક અગ્રણીએ પ્રતિક્રિયા આપી
केरल में लंबित विधेयकों पर गरमाई सियासत, CM विजयन ने SC की टिप्पणी को लेकर राज्यपाल की नीयत पर उठाए सवाल
केरल के मुख्यमंत्री पिनाराई विजयन ने लंबित विधेयकों को राष्ट्रपति की मंजूरी के लिए भेजने के...
Breaking News: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, 'मैंने हिंदू-मुसलमान सबके लिए काम किया'
Breaking News: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, 'मैंने हिंदू-मुसलमान सबके लिए काम किया'