થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ એટેક આવ્યો હતો. તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપાડતા થાનગઢ સરકારી હોસ્પિટલ લઈ જાવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ નાની ઉમરના યુવા કાર્યકરનું અવસાન થતા થાનગઢ શહેરની અંદર લોકોમાં શોકની લાગણી ફરીવળી હતી. તેમના અવસાનની અબર મળતા મોટી સંખ્યામાં તેમના ચાહકો સરકારી દવાખાને ઉમટી પડ્યા હતા. તેઓના પરિવારમાં ત્રણ દીકરી છે જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.