સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજચોરીનાં દૂષણે માઝા મૂકી છે. ગેરકાયદે વીજ વપરાશ કરીને કરવામાં આવતી વીજચોરી સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ટીમો સતત ચેકિંગ અભિયાન ચલાવી રહી છે. જૂન-જુલાઈ 2023 એમ 2 માસમાં જિલ્લામાં 423 જેટલા કનેક્શનોમાં વીજચોરી ઝડપાતા 2.17 કરોડનો દંડ ફટકારાયો હતો.સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં વિવિધ જગ્યાએ ગેરકાયદે કનેક્શન લઈને, વીજ લાઈનમાં લંગરીયા નાખીને, મીટર સાથે ચેડા કરીને, વીજચોરી કરવામાં આવતી હોવાની વારંવાર ફરિયાદો ઊઠતી હોય છે. રહેણાક, ઔદ્યોગિક અને ખેતીનાં વીજકનેક્શનોમાં ગેરકાયદે વીજ વપરાશ કરીને વીજકંપનીને નાણાકીય નુકસાન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને, કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને કેટલાક ઔદ્યોગિક એકમોમાં આ રીતે વીજચોરી કરવામાં આવતી હોવાનું મનાય છે. ગેરકાયદે ધમધમતી ખાણોમાં કનેક્શન પણ ગેરકાયદે લઈ ખનીજચોરી સાથે વીજચોરી કરાતી હોવાનું મનાય છે. ભૂતકાળમાં ખનીજ અંગેનાં દરોડા દરમિયાન ગેરકાયદે ટીસી મૂકીને વીજચોરી કરાતી હોવાનું પણ બહાર આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઈવ યોજીને આવી વીજચોરી અટકાવવા અવારનવાર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. વીજ કંપનીની ચેકિંગ ટીમો દ્વારા વીજચોરીના કેસો ઝડપી પાડવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી, થાન, ચુડા, પાટડી, લખતર, ચોટીલા સહિતના શહેરી તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 2 માસમાં એટલે કે જૂનઅને જુલાઈ-2023 દરમિયાન તમામ તાલુકામાં 2464 વીજકનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 423 કનેક્શનોમાં ગેરરીતિ જણાતા અંદાજે રૂ. 2,17,00,000નો દંડ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રાની એસએસપી જૈન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
ધ્રાંગધ્રાની એસએસપી જૈન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જિલ્લા સ્તરે લઘુમતી જાહેર કરી શકાતી નથી
એક અરજીના જવાબમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જિલ્લા સ્તરે લઘુમતીઓને ઓળખવા કાયદાની વિરુદ્ધ છે...
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak
अग्रवाल समाज: अखिल भारतीय अग्रवाल सम्मेलन ने किया 111 समाजसेवियों का सम्मान
अखिल भारतीय अग्रवाल सम्मेलन ने अग्रसेन जयंती के उपलक्ष में लोकसभा अध्यक्ष बनने पर ओम बिरला व युवा...
KCR सरकार पर PM Modi का निशाना - "Telangana के हर Project में भ्रष्टाचार"
KCR सरकार पर PM Modi का निशाना - "Telangana के हर Project में भ्रष्टाचार"