લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
পদ্মশ্ৰী বঁটা গ্ৰহন কৰি মৰাণত উপস্থিত হোৱাৰ পাছতে হেমপ্ৰভা চুতীয়াক মৰাণবাসীৰ উষ্ম আদৰণি
অসম গৌৰৱ শিপিনীগৰাকীক লৈ গায়ন-বায়ন, বিহুৰে সমদল গাঁওবাসীৰ
চলিত বৰ্ষত পদ্মশ্ৰী...
BANASKANTHA/થરા રાધનપુર નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત..
BANASKANTHA/થરા રાધનપુર નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત..
10 Min Full Body Morning Yoga Routine | Fit Tak
10 Min Full Body Morning Yoga Routine | Fit Tak
દાહોદ : જેસાવાડા ધાનપુર રોડ પર અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત#live24newsgujarat
દાહોદ : જેસાવાડા ધાનપુર રોડ પર અકસ્માતમાં પોલીસ કર્મી નું મોત#live24newsgujarat