લખતર તાલુકાનાં ભાથરીયા ગામે એક જ રાતમાં બે વ્યક્તિઓના ઘરેથી બકરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇને ભોગ બનનાર વ્યક્તિઓએ લખતર પોલીસને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.લખતર તાલુકા મથકથી બારેક કી.મી. દૂર તાલુકાનું ભાથરીયા ગામ આવેલું છે. આ ગામમાં રહેતા દેવકરણભાઈ ધુડાભાઈ બોરિયા તથા ઉર્મિલાબેન સાગરભાઈ મકવાણાએ તા.8-8-23ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.આ અરજીમાં દેવકરણભાઈએ જણાવ્યું હતું કે, તેઓ રાતે સૂતા હતા તે સમયે તેમના વાડામાંથી 2 બકરા કોઈ અજાણ્યો શખ્સ લઈ ગયેલા છે. જ્યારે ઉર્મિલાબેનના વાડામાંથી સાત બકરાને કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જણાવી પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઉર્મિલાબેન બકરીઓ થકી જ ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હવે આ બકરીઓ ચોરાઈ જતાં મુશ્કેલી પડવાની શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Odisha में जानलेवा बनी गर्मी, हीट स्ट्रोक से 72 घंटों में 99 मौतें | Aaj Tak
Breaking News: Odisha में जानलेवा बनी गर्मी, हीट स्ट्रोक से 72 घंटों में 99 मौतें | Aaj Tak
Centenary celebration of arrival of Salesian Congregation in North East
The concluding ceremony of the centenary celebrations of the arrival of the Salesian Congregation...
રાજકોટ: લોકમેળામાં ચાલતી રાઈડ પરથી યુવાન પટકાયો,ગંભીર ઇજા
રાજકોટ: લોકમેળામાં ચાલતી રાઈડ પરથી યુવાન પટકાયો,ગંભીર ઇજા