સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે સુચના અને માગેદશેન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એસ.એમ.જાડેજા સાહેબનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.મગનભાઈ રાઠોડ તથા એ.એસ. આઈ. રવિભાઈ અલગોતર તથા ડ્રા.પો.કોન્સ.નીતિનભાઈ ગોહિલનાઓએ બાતમી હકીકત મેળવી.ગુનામાં નાસતો ફરતો આરોપી ગીરીધરભાઈ લાખાભાઈ ભરાડીયા જાતે.ત.કોળી ઉવ.32 ધંધો ખેતી રહે.ઢીંકવાળી તા.સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને સાયલા ચાર રસ્તા પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધોરણસર અટક કરી સાયલા પો.સ્ટે.માં આરોપી સોપેલ છે.