સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા એ.એસ.આઈ. મગનભાઈ રાઠોડ તથા હે.કો જયરાજસિંહનાઓએ દશાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી મહમદભાઈ ફજુભાઈ કુરેશી જાતે મુસ્લીમ ઉવ.38 ધંધો-ખેતી રહે ડાભીવાસ દશાડા જિ.સુરેન્દ્રનગરવાળાને દશાડા થી 1 કિમી દુર મળાવના માર્ગ પાસેથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.