સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર યુસુફભાઇ શેખ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 11 શખસ સામે અલગ અલગ કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હત્યાના બનાવના 3 દિવસ બાદ હુમલાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં 2 યુવાન હાથમાં ધોકો લઇને નીચે પાણીના ખાબોચીયામાં પડેલા યુવાનના પગે અને મોઢાના ભાગે લોઢાના ઘા મારી રહ્યા છે. તેની બાજુમાં 2 મહિલા પણ ઉભેલી દેખાય છે.શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલી ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને આ વીડિયો ઉતારી ફરતો કરનાર 4 શખસને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ તા. 5 ઓગસ્ટને શનિવારે જાહેર રસ્તા પર કે જ્યાં ઘટના બની હતી અને વીડિયો ઉતાર્યો હતો તે સ્થળ પર શખસોને લઇ જઇને ઉઠકબેઠક, હવે પછી આવું નહીં કરીએ, અમને માફ કરશો સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સમયે એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, સીટી બી-ડિવિઝન પીએસઆઈ જી.એન.શ્યારા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નસવાડી હાઇવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યું ચાલક અને કંડકટર નું શું થયું? જુઓ exclusive news
નસવાડી હાઇવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી માર્યું ચાલક અને કંડકટર નું શું થયું? જુઓ exclusive news
Haryana Election 2024: हरियाणा में मायावती की पहली रैली, बताया गठबंधन जीता तो कौन बनेगा मुख्यमंत्री?
फरीदाबाद। Haryana Election 2024 बसपा सुप्रीमो व उत्तर प्रदेश की पूर्व मुख्यमंत्री मायावती...
ડીસાના આખોલ નજીક ટ્રેલરે પલ્ટી ખાધી
ડીસાના આખોલ ચોકડી નજીક લોખડ ની કોઈલ ભરી જતું ટ્રેલર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના...
ट्रेन के एसी कोच से चुराता था मोबाइल,कोटा जीआरपी पुलिस ने विनोद कुमार को किया गिरफ्तार,मोबाइल बरामद
कोटा रेलवे स्टेशन पर ट्रेन के एसी कोच में यात्री का मोबाइल फोन चुराने के आरोपी को गिरफ्तार किया...
মাহমৰাৰ মৰাণ নগৰত ভাৰতীয় জনতা পাৰ্টিৰ গুৰুত্বপূৰ্ণ সভা অনুষ্ঠিত।কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ ।মাহমৰা।সমষ্টিৰ ৬নং ৱাৰ্ডত অৱস্থিত মাহমৰা।সমষ্টিৰ বিধায়ক তথা অসম চৰকাৰৰ কেবিনেট...