સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર યુસુફભાઇ શેખ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 11 શખસ સામે અલગ અલગ કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હત્યાના બનાવના 3 દિવસ બાદ હુમલાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં 2 યુવાન હાથમાં ધોકો લઇને નીચે પાણીના ખાબોચીયામાં પડેલા યુવાનના પગે અને મોઢાના ભાગે લોઢાના ઘા મારી રહ્યા છે. તેની બાજુમાં 2 મહિલા પણ ઉભેલી દેખાય છે.શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલી ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને આ વીડિયો ઉતારી ફરતો કરનાર 4 શખસને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ તા. 5 ઓગસ્ટને શનિવારે જાહેર રસ્તા પર કે જ્યાં ઘટના બની હતી અને વીડિયો ઉતાર્યો હતો તે સ્થળ પર શખસોને લઇ જઇને ઉઠકબેઠક, હવે પછી આવું નહીં કરીએ, અમને માફ કરશો સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સમયે એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, સીટી બી-ડિવિઝન પીએસઆઈ જી.એન.શ્યારા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડગામ ખેરાલુ રોડ પર કાર ચાલકે 2 વિદ્યાર્થીનીઓ ને મારી ટક્કર
વડગામ ખેરાલુ રોડ પર કાર ચાલકે 2 વિદ્યાર્થીનીઓ ને મારી ટક્કર
भाजपा नेत्री अमिता बागरी द्वारा आयोजित किया गया निशुल्क नेत्र परीक्षण शिविर
सामुदायिक स्वास्थ्य केंद्र गुनौर में 77 लोगों ने कराया नेत्र परीक्षण
गुनौर :भारतीय जनता पार्टी गुनौर मंडल प्रभारी भाजपा जिला मंत्री अमिता बागरी द्वारा समुदाय...
મહેસાણા: અંબાજી પગપાળા જતા NRI સહિતના માઈભક્તો ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમ્યા, Video
મહેસાણા: અંબાજી પગપાળા જતા NRI સહિતના માઈભક્તો ઉત્સાહભેર ગરબાના તાલે ઝૂમ્યા, Video
અમદાવાદ ;ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ આપ ઓફિસ દરોડા પાડ્યાનો કર્યો હતો દાવો ?#gujarat_geeta_news_
અમદાવાદ ;ઇસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયાએ આપ ઓફિસ દરોડા પાડ્યાનો કર્યો હતો દાવો ?#gujarat_geeta_news_
અક્ષર આયુર્વેદ હોસ્પિટલ ઉપક્રમે યોજાયેલ કેમ્પ
સિહોર લાયન્સ કલબ અને દર્દીઓને બજાર કરતા ર૦% રાહતના અક્ષર આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે ભાવે...