સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર યુસુફભાઇ શેખ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 11 શખસ સામે અલગ અલગ કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હત્યાના બનાવના 3 દિવસ બાદ હુમલાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં 2 યુવાન હાથમાં ધોકો લઇને નીચે પાણીના ખાબોચીયામાં પડેલા યુવાનના પગે અને મોઢાના ભાગે લોઢાના ઘા મારી રહ્યા છે. તેની બાજુમાં 2 મહિલા પણ ઉભેલી દેખાય છે.શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલી ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને આ વીડિયો ઉતારી ફરતો કરનાર 4 શખસને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ તા. 5 ઓગસ્ટને શનિવારે જાહેર રસ્તા પર કે જ્યાં ઘટના બની હતી અને વીડિયો ઉતાર્યો હતો તે સ્થળ પર શખસોને લઇ જઇને ઉઠકબેઠક, હવે પછી આવું નહીં કરીએ, અમને માફ કરશો સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સમયે એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, સીટી બી-ડિવિઝન પીએસઆઈ જી.એન.શ્યારા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाबालिक बालिका का अपहरण कर दुष्कर्म करने का आरोपी गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी हनुमान प्रसाद ने बताया की थानाधिकारी पुलिस थाना लाखेरी के नेतृत्व...
નરેન્દ્રમોદી ના આગમન પહેલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલની ધરપકડ.
બ્રેકીંગ ન્યૂઝ :
હિંમતનગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તારીખ 28 જુલાઈ 22 ના રોજ...
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં વિજ વાયર તુટતા પીજીસીએલ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યો
આટકોટ તા 24/10/2022
કરશન બામટા દ્રારા
તાજેતર મા રાજકોટ જી.ના જસદણ તાલુકા ની પીજીવીસીએલ આટકોટ...
वाघोली पीडीइएमध्ये गोकुळाष्टमी साजरी
वाघोली येथील पीडीइए प्राथमिक विद्यालयामध्ये गोकुळाष्टमीचा कार्यक्रम साजरा करण्यात आला. यामध्ये...
নাজিৰাৰ মেকীপুৰত অসম চাহ জনজাতি ছাত্ৰ সন্থাৰ ৩৬তম শ্বহীদ দিৱস উদ্যাপন।
শুকুৰবাৰে দিনযোৰা কাৰ্য্যসূচীৰে উদ্যাপিত কৰাহয় ৩৬ তম শ্বহীদ দিৱস অসম চাহ জনজাতি ছাত্ৰসন্থাৰ...