સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. અને ઝુલુસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શનિવારે સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા શહેરમાંથી 7 જેટલા આકર્ષક તાજીયાનું જુલૂસ નિકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ તેમજ હિન્દૂ તેમજ ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શહેર સંગઠન, વેપારી એસોશિયેશન દ્વારા સીતા શક્તિ ચોક ખાતે સમાજના લોકો જોડાયા હતા. જુલુસ દરમ્યાન ઠેર ઠેર દુધ કોલ્ડ્રીંક્સ, ઠંડા પાણી, શરબત સહિત ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાજીયા જુલૂસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહોરમના પવિત્ર દિવસ દરમ્યાન મુસ્લીમ બિરાદરો બે દિવસ રોઝા રાખે છે. નિફલ નમાઝ પઢી ખાસ દુવાઓ કરે છે. તેજ રીતે તમામ મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોમાં વાએઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાતે 10 કલાકે શહેરના તમામ તાજીયા સીતા દરવાજે ખાતે ટાઢા કરવામાં આવ્યા હતા. આમ ધ્રાંગધ્રા શહેરમાં કોમી એકતા, ભાઈચારા અને એખલાસ સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શું તમને ખબર છે ..? ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો ..! અને તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે
શું તમને ખબર છે ..? ઉપરાષ્ટ્રપતિનો પગાર કેટલો ..! અને તેમને કઈ કઈ સુવિધાઓ મળે છે
अहमदाबाद इंदौर हाइवे पर हादसा ll 25 से अधिक यात्री हुए घायल ll #nationalhighway
अहमदाबाद इंदौर हाइवे पर हादसा ll 25 से अधिक यात्री हुए घायल ll #nationalhighway
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા
স্বাধীনতা দিৱসৰ প্ৰাক ক্ষণত হাতত টৰ্চ লাঠি লৈ নাহৰকটীয়া চাচনীৰ ৰাজপথত নিশা মহিলা গাওঁৰক্ষী বাহিনীৰ তালাচী অভিযান
সমাগত স্বাধীনতা দিৱস। তাৰ প্ৰতি লক্ষ্য ৰাখি ৰাজ্যৰ আৰক্ষী প্ৰশাসনে কটকটীয়া নিৰাপত্তা ব্যৱস্থা...