સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મહોરમ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. અને ઝુલુસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શનિવારે સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા શહેરમાંથી 7 જેટલા આકર્ષક તાજીયાનું જુલૂસ નિકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ તેમજ હિન્દૂ તેમજ ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શહેર સંગઠન, વેપારી એસોશિયેશન દ્વારા સીતા શક્તિ ચોક ખાતે સમાજના લોકો જોડાયા હતા. જુલુસ દરમ્યાન ઠેર ઠેર દુધ કોલ્ડ્રીંક્સ, ઠંડા પાણી, શરબત સહિત ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાજીયા જુલૂસ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહોરમના પવિત્ર દિવસ દરમ્યાન મુસ્લીમ બિરાદરો બે દિવસ રોઝા રાખે છે. નિફલ નમાઝ પઢી ખાસ દુવાઓ કરે છે. તેજ રીતે તમામ મસ્જીદો અને મુસ્લિમ વિસ્તારોમાં વાએઝ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાતે 10 કલાકે શહેરના તમામ તાજીયા સીતા દરવાજે ખાતે ટાઢા કરવામાં આવ્યા હતા. આમ ધ્રાંગધ્રા શહેરમાં કોમી એકતા, ભાઈચારા અને એખલાસ સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बिजली विभाग की लापरवाही आई सामने , खेजड़ी के पेड़ को बना दिया विद्युत पोल
बायतु । मिली सुचना के अनुसार ग्राम पंचायत जाजवा के राजस्व ग्राम राजपुरा में भीम सिंह भाटी के घर...
આવતી કાલે તારીખ 21.09.2022 ને બુધવારે ગુજરાત બંદ નું એલાન..
ગાય માતા માટે 500 કરોડની જાહેરાત કરીને સરકાર દવરા પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ચુકવણી ન કરતા અબોલ...
মঙলদৈত মি. ভৱজ্যোতি গোস্বামীয়ে উদ্বোধন কৰিলে অত্যাধুনিক “আইৰণ ট্ৰাইব জিম”৷
মঙলদৈত মি. ভৱজ্যোতি গোস্বামীয়ে উদ্বোধন কৰিলে অত্যাধুনিক “আইৰণ ট্ৰাইব জিম”৷
थेट अधिवेशनातून : कर्नाटकच्या मुख्यमंत्र्यांना जशासतसे उत्तर द्या : अजित पवार
थेट अधिवेशनातून : कर्नाटकच्या मुख्यमंत्र्यांना जशासतसे उत्तर द्या : अजित पवार