ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં ૧૬૦ મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.૨૮-૦૭-૨૦૨૩ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો ૫૯૯.૩૫ ફૂટ એટલે કે ડેમ ૮૬.૬૨ ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી ૬૦૪ ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૧૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. હાલ દાંતીવાડા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. બનાસ નદીમાં પાણી છોડ્યું ત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા વારંવાર લોકોને નદીમાં અવરજવર ન કરવા કે નાહવા ન જવા માટેની વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે . તેમ છતાં પણ કેટલાક લોકો તંત્રની સૂચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે . ભડથ ગામનો પ્રવિણસિંહ વાઘેલા નામનો યુવક પણ ગેનાજી ગોળીયા પાસેથી પસાર થતી નદીમાં નાહવા પડ્યો હતો અને પાણીના વમણમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો . ઘટનાને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તારવૈયાઓ દોડી આવી તેની શોધખોળ હાથ ધરી હતી . આ ઘટનાની જાણ થતા જ મામલતદાર અને પોલીસ સહિતની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી છે . બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी मंत्री जयदत्त क्षीरसागर यांनी मोहंगिरवाडी येथे जाधव कुटुंब यांचे केले सांत्वन@india report
माजी मंत्री जयदत्त क्षीरसागर यांनी मोहंगिरवाडी येथे जाधव कुटुंब यांचे केले सांत्वन@india report
Donald Trump पर फिर हमले की कोशिश, Joe Biden और Kamala Harirs ने क्या कहा? (BBC Hindi)
Donald Trump पर फिर हमले की कोशिश, Joe Biden और Kamala Harirs ने क्या कहा? (BBC Hindi)
जिल्हा बालकल्याण समितीचा बाळांना आधार : नको असलेले मूल टाकून देऊ नका, तर आम्हाला द्या; माहिती गोपनीय राहणार
रत्नागिरी : अनैतिक संबंधातून जन्माला आलेल्या किंवा सांभाळण्यास असमर्थता दर्शविणारे आपल्या पोटच्या...
आमदार संजयजी बनसोडे यांची गुट्टेवाडी येथे सातवनपर भेट
आमदार संजयजी बनसोडे यांची गुट्टेवाडी येथे सातवनपर भेट
ভুৱা বাতৰিৰে ভৰা পৃথিৱীত আজিও বিশ্বাসযোগ্য মাধ্যম হৈছে ৰেডিঅ' : আজি বিশ্ব ৰেডিঅ’ দিৱস
এয়া আকাশবাণী … , আপুনি শুনি আছে গীতিমালিকা … স্মৃতিৰ মণিকোঠাত এতিয়াও আপুনি নিশ্চয়...