અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરે છે ત્યારે ૨૪મી જુલાઈના રોજ થરાદ એપીએમસી ખાતે વર્ષ ૨૦૨૩- ૨૪ ની નવિન નગર ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા સંયોજક સુહાસભાઈ સોનીએ એબીવીપીની કાર્યપ્રણાલી સમજાવ્યા બાદ ભાગ સંયોજક હિતેષભાઈ દેસાઈએ વિધિવત રીતે નગર ઘોષણા કરી હતી, એબીવીપી થરાદના નગરમંત્રી પદે રાજેશભાઈ જોષી નાનોલ , નગર સહમંત્રી પદે ભવાનસિંહ સોઢા, અજમલભાઈ ચૌધરી, નગર કાર્યાલય મંત્રી સેધાભાઈ ચૌધરી, નગર કોષાધ્યક્ષ પદે અરવિંદભાઈ પુરોહિત ભુરીયા સહિત વિવિધ જવાબદારીઓ સોંપી નવિન ટીમને શુભેચ્છા પાઠવી હતી. પ્રસંગે જીલ્લા સંયોજક, ભાગ સંયોજક સહિત નવિન નગરમંત્રી અને ટીમના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.