વહિવટી તંત્રની સંવેદનશીલતા
સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્રારા માનવ મૃત્યુ સહાય માત્ર સાત જ દિવસમાં ચુકવાઇ
ભારે વરસાદના કારણે પરમાર ચુનીભાઇ સાયબાભાઇ મૃત્યુ પામતા વહિવટી તંત્ર પરીવારજનોની મદદે આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં તા. ૧૦ જૂલાઇ ૨૦૨૩ના રોજ દેમતી ગામે ભારે વરસાદના કારણે પરમાર ચુનીભાઇ સાયબાભાઇ વાંધામાં તણાઇ જતા અકસ્માતે મૃત્યુ થયું હતું. જેની વહીવટી તંત્ર દ્વારા તરત નોંધ લેવાય અને તેમના પરિવારને માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ આપી તેમના પત્ની લંકાબેન પરમારને રૂ. ચાર લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ આદિજાતી વિસ્તાર એવા પોશીના તાલુકાના દેમતી ગામના ચુનીભાઇ સાયબાભાઇ પરમાર સાંજે સાતેક વાગ્યાના સમયે પોતાની ભેંસોની શોધમાં ગયા હતા. ઘણા સમય બાદ પણ ઘરે પરત ન ફરતા તેમની શોધ કરતાં તેઓ વાંઘાના(નાડિયા) ભારે પાણીમાં તણાઇ જતાં તેમનુ આકસ્મિક મૃત્યુ થતા તેમના પરીવાર પર જાણે આભ ભાટ્યું હતું.
આ અકસ્માતની જાણ થતા જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહિવટી કામગીરીમાં મદદ આપી હતી. પરીજનોની આર્થિક સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્રારા બને તેટલી ઝડપી સહાય પરીવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરીકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર સાત જ દિવસમાં ચુનીભાઇના પત્નિને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ દ્રારા રૂ. ચાર લાખની સહાયનો ચેક ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલના હસ્તે અર્પણ કરવામાં