હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પંથકના પ્રસિદ્ધ શ્રી રામજી ભગવાનના મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજના આશીર્વાદથી અને તેઓના આયોજન હેઠળ ભગવાન શ્રી રામજી મંદિર ખાતે 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી રામશરણદાસ મહારાજ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પાવન ઉપસ્થિતિમાં તેમજ અનેક મહાનુભવોની અને શ્રી રામ ભક્તોની હાજરીમાં આજરોજ રામજી મંદિર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમાં 31 દિવસીય અખંડ શ્રી રામધુનનો શુભારંભ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ શ્રી રામમય બની ગયું હતું અને ઉપસ્થિત તમામ રામ ભક્તો શ્રી રામધુનમાં લીન થયા હતા આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજ અને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભવો અને શ્રીરામ ભક્તોએ ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરી આરતી ઉતારી અખંડ શ્રી રામધુનનો પ્રારંભ કરાવી પ્રથમ દિવસની શ્રી અખંડ રામધૂનમાં સામેલ થવાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.