હળવદ તાલુકામાં વિવિધ ગામોમાંથી માઈનોર કેનાલો પસાર થાય છે. જેમાંથી મોટાભાગની માઈનોર કેનાલોમાં બાવળો તેમજ ઝાંખરાઓનો જમાવડો જોવા મળે છે. તો સાથે અમુક ગામોમાં દસ દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું સુદ્ધા માઈનોર કેનાલમાં પહોંચ્યું જ નથી. જેથી કરીને ખેડૂતો અકળાયા છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કેનાલમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડ્યું હતું. અને જણાવ્યું હતું કે, વેગડવાવ માંથી પસાર થતા માઈનોર ડી-17ની પેટા કેનાલ 3 નંબરમાં દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું આવ્યું નથી. અને આ કેનાલથી 10 હજારથી વધારે વિઘામાં ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. જેમાં શક્તિનગર, ઘણાંદ, મંગળપર, બુટવડા, વેગડવાવ, ઈસનપુર સહિતના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, કેનાલ બની ત્યારથી પાણી તો આવ્યું નથી. પરંતુ અમારી જમીન કેનાલોમાં રોકાયેલી છે. જેથી કરીને કાંતો ખેડૂતોને પાણી આપો અથવા કેનાલ જમીન પરથી લઈ જવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેનાલોની નબળી કામગીરી હોવાથી પાણી આવે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. અને હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अतिवृष्टि से खराब हुई फसलों के मुआवजा दिलवाने के लिए किसानों ने सौपा ज्ञापन
सिकोईडिकोन कार्यालय निवाई में किसान सेवा समिति की बैठक समिति अध्यक्ष मदनलाल शर्मा की अध्यक्षता...
રાજકોટ મનપાના ફૂડ વિભાગનું ઘોડું દશેરા પહેલાં સફાળું દોડ્યું #MUKHYA_SAMACHAR
રાજકોટ મનપાના ફૂડ વિભાગનું ઘોડું દશેરા પહેલાં સફાળું દોડ્યું #MUKHYA_SAMACHAR
Botad : પોલીસ પર કરાયા ગંભીર આક્ષેપ | MantavyaNews
Botad : પોલીસ પર કરાયા ગંભીર આક્ષેપ | MantavyaNews
स्टेट हाईवे-34 पर पीपल्या के पास सडक मार्ग हो सकता हे बाधित
कोटा व बूंदी से वाया खटकड- देई - नैनवां - उनियारा -टोंक -जयपुर सडक मार्ग गत वर्ष वर्षाकाल...
HTAT મુખ્ય શિક્ષક બદલી નિયમો બાબતે શૈક્ષિક મહાસંઘ જન સભા અમદાવાદ ખાતે યોજાઈ
ગત તારીખ 13ને રવિવારના રોજના ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યભરના મુખ્ય શિક્ષકની...