હળવદ તાલુકામાં વિવિધ ગામોમાંથી માઈનોર કેનાલો પસાર થાય છે. જેમાંથી મોટાભાગની માઈનોર કેનાલોમાં બાવળો તેમજ ઝાંખરાઓનો જમાવડો જોવા મળે છે. તો સાથે અમુક ગામોમાં દસ દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું સુદ્ધા માઈનોર કેનાલમાં પહોંચ્યું જ નથી. જેથી કરીને ખેડૂતો અકળાયા છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કેનાલમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડ્યું હતું. અને જણાવ્યું હતું કે, વેગડવાવ માંથી પસાર થતા માઈનોર ડી-17ની પેટા કેનાલ 3 નંબરમાં દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું આવ્યું નથી. અને આ કેનાલથી 10 હજારથી વધારે વિઘામાં ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. જેમાં શક્તિનગર, ઘણાંદ, મંગળપર, બુટવડા, વેગડવાવ, ઈસનપુર સહિતના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, કેનાલ બની ત્યારથી પાણી તો આવ્યું નથી. પરંતુ અમારી જમીન કેનાલોમાં રોકાયેલી છે. જેથી કરીને કાંતો ખેડૂતોને પાણી આપો અથવા કેનાલ જમીન પરથી લઈ જવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેનાલોની નબળી કામગીરી હોવાથી પાણી આવે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. અને હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત "સ્વચ્છતા દિવસ" કાર્યક્રમમાં લેવાયા "સ્વચ્છતા શપથ"
"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના...
ডুমডুমা নগৰৰ মাজমজিয়াতে থকা পথৰ দুৰৱস্থা সন্দৰ্ভত বীৰ লাচিত সেনাৰ প্ৰতিক্ৰিয়া।
ডুমডুমা নগৰৰ মাজমজিয়াতে থকা পথৰ দুৰৱস্থা সন্দৰ্ভত বীৰ লাচিত সেনাৰ প্ৰতিক্ৰিয়া।
अहमदाबाद मण्डल पर मनाया गया सद्भावना दिवस अधिकारी एवं रेल कर्मचारियों को 'सद्भावना शपथ' दिलाई।
अहमदाबाद मण्डल पर मनाया गया सद्भावना दिवस अधिकारी एवं रेल कर्मचारियों को 'सद्भावना शपथ'...
নিৰ্মূল হ'ব কেন্সাৰ! অসমতে আৱিষ্কাৰ হৈছে মাৰাত্মক কেন্সাৰৰ ঔষধ
নিৰ্মূল হ'ব কেন্সাৰ! অসমতে আৱিষ্কাৰ হৈছে মাৰাত্মক কেন্সাৰৰ ঔষধ