હળવદ તાલુકામાં વિવિધ ગામોમાંથી માઈનોર કેનાલો પસાર થાય છે. જેમાંથી મોટાભાગની માઈનોર કેનાલોમાં બાવળો તેમજ ઝાંખરાઓનો જમાવડો જોવા મળે છે. તો સાથે અમુક ગામોમાં દસ દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું સુદ્ધા માઈનોર કેનાલમાં પહોંચ્યું જ નથી. જેથી કરીને ખેડૂતો અકળાયા છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કેનાલમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડ્યું હતું. અને જણાવ્યું હતું કે, વેગડવાવ માંથી પસાર થતા માઈનોર ડી-17ની પેટા કેનાલ 3 નંબરમાં દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું આવ્યું નથી. અને આ કેનાલથી 10 હજારથી વધારે વિઘામાં ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. જેમાં શક્તિનગર, ઘણાંદ, મંગળપર, બુટવડા, વેગડવાવ, ઈસનપુર સહિતના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, કેનાલ બની ત્યારથી પાણી તો આવ્યું નથી. પરંતુ અમારી જમીન કેનાલોમાં રોકાયેલી છે. જેથી કરીને કાંતો ખેડૂતોને પાણી આપો અથવા કેનાલ જમીન પરથી લઈ જવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેનાલોની નબળી કામગીરી હોવાથી પાણી આવે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. અને હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पहले लेटर, अब पार्टी अध्यक्ष नड्डा ने किया तलब; किसानों के मुद्दों पर अपनी पार्टी में घिरी कंगना
नई दिल्ली। भाजपा सांसद और बॉलीवुड एक्ट्रेस कंगना रनौत ने पार्टी अध्यक्ष जेपी नड्डा से...
দ'লবাগানত নিশা পথ দুৰ্ঘটনা
নাজিৰা সমষ্টিৰ অন্তৰ্গত দ'লবাগানত নিশা সংঘটিত হয় এক পথ দুৰ্ঘটনা । AS 01 JD 9260 নম্বৰৰ এখন চাউল...
हौसेला मोल नाही, शेकऱ्याने घातलं लाडक्या खिलार गाईचं थाटात डोहाळे जेवण । HPN MARATHI NEWS
हौसेला मोल नाही, शेकऱ्याने घातलं लाडक्या खिलार गाईचं थाटात डोहाळे जेवण । HPN MARATHI NEWS
November 2024 में खरीदनी है Maruti की Car, जान लें किस पर मिल रहा कैसा Discount Offer
देश में सबसे ज्यादा कारों की बिक्री करने वाली कंपनी मारुति सुजुकी की ओर से November 2024 में...
યાત્રાધામ પાવાગઢ ખાતે ભૂદેવોએ જનોઈ બદલી ધાર્મિક પરંપરા મુજબ બળેવની ઉજવણી કરી.
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર દિવસને બળેવના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં...