સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવના અલગ અલગ કાર્યક્રમો કરી બાળકોનો પ્રવેશ કરાવવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ આયોજનના ભાગરૂપે કન્યા કેળવણી મહોત્સવ તેમજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બીપોર જો વાવાઝોડાના કારણે આ કાર્યક્રમ રદ થયો હતો ત્યારે આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં શાળા શિક્ષકો અધિકારીઓ તેમજ દાતાઓએ હાજરી આપી હતી