દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો..વર્તમાન સમયમાં શાળા કક્ષા એથી બાળકો ને નવું જાણવા ના હેતુથી શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવતો હોય છે.દિયોદર ખાતે આવેલ સંસ્કૃતિક વિદ્યાલય દ્વારા શૈક્ષણિક પ્રવુતિઓ અંતર્ગત શૈક્ષણિક પ્રવાસનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રવાસ માં સણાદર માં બિરાજમાન માં અંબાજી માં તેમજ દ્વારકાધીશ મંદિર ના દર્શન કર્યા હતાં.તેમજ બનાસ ડેરી ને લગતી શૈક્ષણિક માહિતી મેળવી હતી. બનાસ ડેરી ના સ્ટાફ તરફથી સરસ સહયોગ મળ્યો હતો. ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખુબ ખુબ આભાર માન્યો હતો. આ કાર્યક્રમ સ્કૂલ ના સ્ટાફ દેસાઈ પરેશભાઈ,પ્રફુલભાઈ, રામુભાઈ ,કિંજલબેન ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળ કરી સ્કૂલ પરત ફર્યા હતા.અને વિદ્યાર્થી ઓ માં આનંદ ની લાગણી જોવા મળી હતી..