સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર વસાડવા વચ્ચે રેલ્વે સ્ટેશન નજીક માલગાડી આવતા એક શખસ ટ્રેક ઉપર સુઈ જઇને આત્મહત્યા કરતા બંને પગ કપાતા ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.ત્યારે ધ્રાંગધ્રા રેલ્વે પોલીસ હેડ કોસ્ટેબલ ભરતસિંહ માવુભા તથા હરદેવસિંહ દિલીપસિંહને આ ગોઝારી ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબ્જો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. ત્યારે વધુ તપાસ કરાતા ટ્રેનની અડફેટે મરણ જનારનું નામ સુરેશભાઈ હીરાભાઈ કોળી, રેલવે કોલોની ધોરીધાર, કૈલાશનગર, ધ્રાંગધ્રાવાળા હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |