તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં. પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા, પૃષ્ટી પાઠક, તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની પૃષ્ટી પાઠકનામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની પૃષ્ટી પાઠક સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જીલ્લા ખાતેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન તથા જરૂરી ડોકયુમેન્ટ સાથેની બેગ મુળ માલીકને પરત આપવામાં આવ્યા
અમરેલી જીલ્લા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી ૨૪*૭ કલાક...
Orchids The International School and IIT Bombay Join Hands to Inspire Young Innovators at ‘TechFest’
Bengaluru, October 22, 2025: Orchids The International School, one of India’s leading K12...
aurangabad : शिवसेनेच्या वतीने पारंपारिक पद्धतीने धूमधडाक्यात तुळशी विवाह साजरा
aurangabad : शिवसेनेच्या वतीने पारंपारिक पद्धतीने धूमधडाक्यात तुळशी विवाह साजरा
દિયોદર માં આજે તમામ વેપારીઓ બંદ માં જોડાયા હતા..
કોંગ્રેસ દવરા ગુજરાત બંદ નું એલાન આપ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકાએ બંદ પાણી...
हाड़ौती कारपेंटर विकास समिति: गणतंत्र दिवस पर किया ध्वजारोहण
हाड़ौती कारपेंटर विकास समिति द्वारा गणतंत्र दिवस पर रविवार को ध्वजारोहण शॉपिंग सेन्टर स्थित पार्क...