વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
यूपी: बिजनौर में सर्राफा की दुकान से हुई लूट का पुलिस ने किया खुलासा
उत्तर प्रदेश के बिजनौर में 11 जून को नजीबाबाद में मौजूद सर्राफा व्यापारी की दुकान पर एक लुटेरा...
ચડોતરમાં અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી'નુ વેચાણ કરનાર સામે ફરિયાદ થઈ
ચડોતરમાં અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ‘ધી’નું વેચાણ કરનાર સામે ફરિયાદ થઈ
...
વ્યાજખોરીના આરોપી સાપર ગામના દિલીપભાઈ તથા પુત્ર આદિત્યભાઈ મકવાણા ને પકડી પાડતી બગસરા પોલીસ ટીમ
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરીના આરોપીને પકડી પાડતી બગસરા પોલીસ ટીમ.
...
5500mAh बैटरी फोन vivo T3 Ultra 5G आज होगा लॉन्च, मिलेगा 50MP दमदार कैमरा
वीवो अपनी टी सीरीज में एक नया फोन vivo T3 Ultra 5G ला रहा है। वीवो का नया फोन भारत में आज लॉन्च...
স্থায়ী নিযুক্তিৰ দাবীত কাৰ্যবাহী অভিযন্তাক স্মাৰক পত্ৰ প্ৰদান PHE, অস্থায়ী শ্ৰমিক কৰ্মচাৰী পৰিষদৰ।
নিযুক্তিৰ দাবীত বিভাগীয় কাৰ্যবাহী অভিযন্তাক স্মাৰক পত্ৰ প্ৰদান পি, এইচ,ই, অস্থায়ী শ্ৰমিক...