વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખૂબ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે.ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીનું આ મંદિર ભોગાવા નદીના કાંઠે આવેલું છે. જે વાઘેલા ગામથી લાવેલા પથ્થરો દ્વારા બનાવાયુ છે.આ મંદિરના તાબામાં ધ્રાંગધ્રા અને અમદાવાદના મંદિર પણ નિર્માણ પામ્યા છે. વઢવાણ સ્વામિનારાયણ મંદિરના મહંત માધવેન્દ્રપ્રસાદજીના આશિર્વાદથી અને આજ્ઞાથી ભોજનાલય અને સંત આશ્રમનું નિર્માણ પૂર્ણ થયું છે. આ કુંજવિહારી ભોજનાલય અને સંત આશ્રમનું ઉદ્ઘાટન 1 જુલાઇના રોજ થયું હતું.આ તકે આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી, આચાર્ય હ્દયેન્દ્રપ્રસાદજી, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી, કેન્દ્રિયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા સહિત અનેક સંતો મહંતોની ઉપસ્થિતિ હતી. વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં આધુનિક ભોજનાલય બનાવાયું છે. જેમાં એક સાથે 10 હજાર હરીભક્તો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ ભોજનાલયમાં હરિભક્તો અને સંતો માટે વિનામૂલ્યે ભોજન અપાશે. આ ઉપરાંત 5 હજાર મહિલા અને 5 હજાર પુરૂષો ભોજન આપી શકાય તેવ આયોજન પણ ભોજનાલયમાં કરાયું છે.વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ સ્વામીની સાધુ સંતો માટે કાંઇક કરવાની ઇચ્છા હતી.ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં સંત આશ્રમ બનાવાયો છે. આ સંત આશ્રમમાં હોસ્પિટલાઇઝની વ્યવસ્થા છે. કોઇ સાધુ સંતને આશ્રમમાં રહીને સારવાર કરી શકે તે માટે ડોક્ટર, દવા અને ઓક્સીજન સહિતની સુવિધા રખાઇ છે.આ ઉદ્ધઘાટનમાં રાજ્યભરમાંથી 10હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Modi has given J&K a new sunrise, Abdullahs, Muftis must stop nefarious designs : Chugh
BJP national general secretary Tarun Chugh today said that the Viksit Bharat Sankalap yatra would...
बांग्लादेश बोला- भारत से आ रहे बयानों से खुश नहीं:हसीना के प्रत्यर्पण की मांग भारत को शर्मिंदा करेगी
बांग्लादेश की अंतरिम सरकार में विदेश मंत्री मोहम्मद तोहीद हुसैन ने कहा कि उनकी सरकार भारत से आ...
ઠાસરા શહેર માં ઈદે મિલાદ પર્વ ની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
ઠાસરા શહેર માં ઈદની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી:
ઠાસરા શહેર માં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય...
સરદારનગર પોલીસે નકલી પોલીસ બનેલ પ્રકાશ વાઘેલા નામનાં યુવકની ધરપકડ કરી
અમદાવાદ
રાજયમાં ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં અસલી પોલીસ નકલી પોલીસની ધરપકડ કરતી હોય...
કડીમાં 8 વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લીધો; સારવાર દરમિયાન મોત, ચાલક વિરુદ્ધ ફરિયાદ
કડીના મામલતદાર કચેરીથી થોળ રોડ ઉપર આવી રહેલી સફારી ગાડીએ માસુમ 8 વર્ષના બાળકને અડફેટે લેતા...