લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Turkish Ice Cream Parlour inaugurated in Shillong|| Twisting Scoops
Twisting Scoops, Asia’s first and only Turkish dessert chain which was launched in 2016...
થરાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારે પશુઓ માટે જાહેર કરેલા રૂ. 500 કરોડ ચૂકવવા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
ગુજરાત સરકાર દ્વારા પશુઓ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી છતાં આપી નથી માટે આજરોજ કોંગ્રેસ દવરા...