પાટડીના છત્રોટ ગામે ખેતરમાં વરસાદના પાણીના નિકાલ બાબતે પારિવારિક ધીંગાણું ખેલાયું હતુ. આ ઝઘડામાં પિતા-પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા છત્રોટ ગામના કુલ ચાર લોકો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકામાં છેવાડે આવેલા છત્રોટ ગામ ખેતરમાંથી વરસાદના પાણીના નિકાલ બાબતે ધીંગાણું ખેલાયું હતુ. જેમાં છત્રોટ ગામના મેરુભાઈ છગનભાઈ દેથળિયા દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સીમ ખેતરમાં આવેલા માતાજીના મંદિરે દર્શન કરી ખેતરે કામ કરવા ગયા હતા. ત્યાં મેરુભાઈનો મોટો દીકરો નરસિંહ ઉર્ફે રમેશ તેનો દીકરો જશવંત તથા સંજય અને નરસિંહના પત્ની લક્ષ્મીબેન ચારેય જણા તેઓ પાસે જઈને ખેતર જમીનમાંથી પાણી નિકાલ બાબતે વાત કર્યા બાદ ઉશ્કેરાઈ જઇ ઝઘડો કરવા લાગ્યા હતા.જેથી નરસિંહભાઈ દ્વારા મેરુભાઈને લાકડી વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. તથા તેના દીકરા સંજય અને જશવંત દ્વારા પણ ઢીકાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. મેરુભાઈનો દીકરો દીવાન અને પત્ની ગીતાબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ બરડામાં માર માર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ વાનને ફોન કરતા મેરુભાઈને તથા તેઓના દીકરા દીવાનભાઈને વધુ વાગ્યું હોય જેથી સારવાર માટે દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જ્યા ડોક્ટર દ્વારા ચેક કરતા ખંભાથી નીચેના ભાગે મેરુભાઈને ફ્રેકચર થયેલ હોવાનું જણાવ્યું હતુ. તથા દીવાનભાઈને ખભાથી નીચેના ભાગે ફ્રેકચર થયું હોવાનું જણાવ્યું હતુ. જેથી ડોક્ટર દ્વારા ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યું હતુ. જેથી મેરુભાઈ દ્વારા દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ દસાડા પોલીસે હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
4 जून को मोदी जी के नेतृत्व में देश जीतेगा वंशवादी भ्रष्टाचारी कांग्रेस गठबंधन हारेगी : चुग || मोदी की गारंटी का अर्थ है गरीबों को 3 करोड़ घर और बुजुर्गो को निशुल्क इलाज : चुग
140 करोड़ भारतीयों का संकल्प जीतेगी भाजपा की मोदी सरकार : चुघ
मोहब्बत की दुकान लेकर निकले...
વીરપુરમાં કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું 20 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા
વીરપુરમાં પરસોતમ રૂપાલા ના હસ્તે 20 થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસની વિદાય આપી ભાજપમાં...
બે લવજેહાદ ની ઘટના સામે આવતા ઈસનપુર પોલીસ બે ફરિયાદ દાખલ કરી, લોકોએ યુવકને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો
બે લવજેહાદ ની ઘટના સામે આવતા ઈસનપુર પોલીસ બે ફરિયાદ દાખલ કરી, લોકોએ યુવકને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો
ધોરાવાડા ગામે માર્કેટ યાર્ડ ખાતે નવીન બનાવેલ વે-બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યું....
વિરપુર તાલુકાના ધોરાવાડા ચોકડી પાસે નવીન બનાવેલ સરદાર પટેલ અનાજ માર્કેટ યાર્ડનુ થોડા દિવસો અગાઉ...
ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો | Daily Gujarat News
ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો | Daily Gujarat News...