તારાપુર શહેરમાં પીતાબરદાસ નાઝુમલ માહેશ્વરીની ગઈ કાલે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે અજાણ્યા શખ્સોએ હત્યા કરવામાં આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

આ સંદર્ભે આજરોજ તારાપુર મામલતદાર કચેરી ખાતે માહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે અને હત્યારાઓને પકડી કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત સાથે તારાપુર મામલતદાર કચેરીમાં સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર આપી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી