હાલોલ શહેરની મધ્યમાં આવેલ વિઠ્ઠલપુરા ક્લસ્ટરની વિઠ્ઠલપુરા હેડ ક્વાર્ટર શાળા ખાતે વ્યસન મુક્તિની થીમ પર અને મુખ્ય વિષય સાથે પ્રાથમિક શાળાના લગભગ 300 થી વધુ બાળકઓ દ્વારા વ્યસન મુક્તિ પોસ્ટર નિર્માણ કરી તેનું નિદર્શન કરતી રેલી યોજાઇ હતી જેમાં રેલીના માધ્યમથી હાલોલના નગરજનોને શાળાના સ્થાપના દિવસ નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપી નાના ભૂલકાઓએ એક અભિયાનની શરૂઆત કરેલ છે ત્યારબાદ શાળા કક્ષાએ આજની મુખ્ય થીમના અનુસંધાને વ્યસન મુક્તિ પર નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંતઆજ રોજ શાળાના આચાર્યશ્રી સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા શાળાના તમામ બાળકો અને વાલી મિત્રોને એક આધ્યાત્મિક સંદેશ આપવા માટે મહાન સંત પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી જીનપ્રેમવિજયજી મહારાજની મુખ્ય પ્રવક્તા તરીકે તેઓની પાવન ઉપસ્થિતમાં મહારાજ દ્વારા બાળકોને સારા વ્યસન અને ખરાબ વ્યસન બંન્નેની વાત કરી એક ઉત્કૃષ્ટ સંદેશ શાળાના બાળકો દ્વારા તેમના માધ્યમથી સમગ્ર સમાજને આપ્યો હતો.કાર્યક્રમના અંતે કાર્યક્રમના મુખ્ય મહેમાન મહારાજશ્રી દ્વારા લેખિત રામાયણનું પુસ્તક શાળાના બાળકો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું  જેમાં આજના આ સમગ્ર કાર્યક્રમની અને ભગીરથ કાર્યની સરકારશ્રી તરફથી મળેલ સૂચના મુજબ શાળા સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી શાળાના આચાર્યશ્રી હેડ ટીચર વિરેનભાઈ એમ. જોષી અને સી.આર.સી.કો.ઓ. દર્શન પંચાલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.