સુરેન્દ્રનગર શહેરના બંશીધર સોસાયટીમાં રહેતા યુવક ધીરૂ પરાલીયા મુળચંદ નજીક નર્મદા કેનાલ પાણી સળગતી હાલતમા હોઇ કોઇએ 108 ને જાણ કરતા યુવકને સળગેલી હાલતમાં પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અમદાવાદ રીર્ફર કરતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ દોડતી થયેલ અને અમદાવાદ પોહોચી યુવકની પુછપરછ હાથ ધરતા યુવક અલગ અલગ નિવેદનો આપી અને પોલીસને ગુમરાહ કરતો હતો અને તેને કોઇ બાઇક ચાલકો એ પેટ્રોલ છાતી સળગાવી દીધાની કહાની કરતો હતો.જેથી પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.કિન્નરની પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને ભોગ બનનાર યુવક ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતો અને ત્યાર બાદ આ સંબંધો બંધ થયા હતા છતા ધીરૂ પરાલીયા પરાણે આવા સંબંધો રાખવા દબાણ કરતો હતો વારંવારની આવી અનૈતિક સંબંધોથી કિન્નર સાનિયા કટાંળેલ જેથી તેણે રાતના 12/30 કલાકે ધીરૂ પરાલીયાને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પર સંબંધ બાંધવાના બહાને બોલાવ્યો હતો.તે બન્ને જણા ત્યા પોહોચતા ધીરૂ પરાલીયા એ છેડછાડ ચાલુ કરતા કિન્નર સાનિયા એ સંબંધો પુરા કરવા સમજાવતા વાત બગડી હતી જેથી કિન્નર સાનિયા પહેલા થી જ તૈયારી સાથે આવેલ હોઇ બોટલમાં ભરેલ પેટ્રોલ ધીરૂ પરાલીયા પર છાટી ને દીવાસળી ચાપી અને ત્યાથી ફરાર થયેલ અને દ્રારકા ભાગી ગયેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોટીલા માંથી સગીરાને ભગાડીને અપહરણ કરનાર ૯ વર્ષથી ફરાર આરોપીને ચોટીલા ખાતેથી ઝડપી પાડ્યો
ચોટીલા પો.સ્ટે.ના સગીરાને ભગાડીને અપહરણ કરી લઇ જવાના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી ફરાર લીસ્ટેડ...
শ্ৰী শ্ৰী আউনীআটী সত্ৰত আৰম্ভ পবিত্ৰ ভাদমহীয়া নাম
শ্ৰী শ্ৰী আউনীআটী সত্ৰত আৰম্ভ পবিত্ৰ ভাদমহীয়া নাম
AL-IRFAN Eye Hospital अब सिर्फ 100 रुपया मे अपनी आखो का चेक अप कराय.
AL-IRFAN Eye Hospital अब सिर्फ 100 रुपया मे अपनी आखो का चेक अप कराय.
બનાસકાંઠાની જળવ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
બનાસકાંઠાની જળવ્યવસ્થાપન અને વિતરણ પ્રણાલીનો તાગ મેળવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા