સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને  સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા