બનાસકાંઠા..

દાંતા તાલુકાના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું..

બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાને પગલે સતત બે દિવસ સુધી જિલ્લામાં તેજ ગતિના પવન સાથે વરસાદ વરસ્યો છે...

નીચાણવાળા-નદી વિસ્તાર અને કાચાં મકાનોમાં રહેતા પરિવારો માટે આફત સર્જાઈ હતી.

લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યાં હતા...

 કપરી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ તેમની વ્હારે આવી અને તેમને સુરક્ષિત સ્થળાંતર કરાવ્યાં હતાં....

નવાવાસ ગામમાં ખેતરમાં રહેતા માલધારી સમાજને માથે ભારે વરસાદથી સંકટ તોળાયુ હતું...

ગુરુવાર શુક્રવાર બે દિવસ થયેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ બનાવી દીધી હતી...

ખેતરમાં રહેતા માલધારી સમાજના લોકો મુસીબતમાં મુકાયા હતા અને ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા હતા...

પાણી ભરાવાના લીધે માલધારી સમાજના લોકો ફસાયા હોવાની તંત્રને જાણ થતાં તાલુકા પંચાયત દાંતાની ટીમ ઘટના સ્થળે પહોંચી માલધારી સમાજના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા..

બચાવ ટુકડી દ્વારા ફસાયેલા માલધારી સમાજના લોકો અને તેમના ઘરવખરી-માલસામાનને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી તેમને આફતમાંથી ઉગારવામાં આવ્યા હતા...

 તંત્રની આ કામગીરીને પગલે માલધારી સમાજે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી