લખતર રાજ મહેલમાં પાંચેક વર્ષ પહેલાં થયેલી ચોરીનાં કેસમાં જામીન ઉપર છૂટેલા આરોપીઓ હાજર ન થતાં કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કાઢ્યુ હતુ. આથી લખતર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.લખતર શહેરનાં રાજ મહેલમાં આજથી પાંચેક વર્ષ પહેલાં એટલે વર્ષ 2018માં ચોરી થઈ હતી. તે સમયે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પાટડી તાલુકાનાં સેડલા ગામનાં જતમલેક ભાણજીખાન મુરદખાન તેમજ જતમલેક હૈયાતખાન હુસેનખાનને જામીન મળ્યા હતા.ત્યારબાદ સમન્સ બજાવવા છતાં બંને આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા હોવાથી કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા લખતર પીએસઆઈ એન.એ.ડાભી, નરેન્દ્રસિંહ કાસેલા તેમજ રાજેશભાઈ કુશાપરા દ્વારા આરોપીને સેડલા ગામે તેમના ઘરેથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.