જાણવા મળતી માહિતી મુજબ બોટાદ ના સાળગપુર રોડ પોસ્ટઓફિસ પાસે આવેલ મેઘાણી નગર ખાતે રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરશી છૂટક મજૂરી કરી પરિવાર નુ ગુજરાન ચલાવતા હતા જેઓ ને આશરે એક મહિના પહેલા બોટાદ પોલીસ ત્રણ કર્મી દ્વારા યુવક ને પુછપરછ માટે પોલીસ સ્ટેશનખાતે લઈ ગયેલ ત્યાર બાદ યુવકને છોડીમુકેલ અને આ યુવકની તબિયત ખરાબ થતા સારવાર માટે બોટાદ, ભાવનગર તેમજ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડેલ જયા જીવન મરણ વચ્ચે જોલાખાઈ રહેલા મુસ્લિમ યુવાન કાળુભાઈ અમદાવાદ ખાતે હોસ્પીટલમાં જીદંગી સામે જંગ હારી ગયો હતો. આજ મુસ્લિમ યુવાનનું મોત નીપજ્યું હોય યુવાનનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના પિતા અને મુસ્લિમ સમાજ દ્વારા યુવાનને માર મારવા માટે જવાબદાર ત્રણેય પોલીસ કર્મી

સામે 302 કલમ હેઠળ માનવ વધનો ગુન્હો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.