ખંભાત તાલુકાના નવાગામ વાટા ખાતે રહેતા જશવંતભાઈ ભુદરભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યાના સુમારે નજીકમાં રહેતા રણછોડભાઈ કાશીભાઈ ભરવાડે રસ્તામાં મૂકેલા  બાકડા ખસેડવાની બાબતે ઝઘડો કર્યો હતો. રણછોડભાઈનો ઉપરાણું લઈ ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ અને કાળુભાઈ રણછોડભાઈએ પોતાની પાસેની લાકડી જશવંતભાઈને ડાબા હાથના કાંડા પર મારી દેતા ફેકચર થઈ જવા પામ્યું હતું.તેમના દીકરા પંકજભાઈ અને સરપંચ દીપકભાઈ વચ્ચે પડતા બીજા શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અમર ભરવાડે ઇંટનો ટુકડો હાથમાં લઈને પંકજને ડાબા હાથે મારી દીધો હતો જ્યારે વચ્ચે પડનાર યાગ્નિક ભાઈને માથામાં ઇંટનો ટુકડો મારી દેતા લોહી નીકળ્યું હતું ત્યારબાદ ચારેય જણાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે  રણછોડભાઈ કાશીભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ કાશીભાઈ ભરવાડ, અમરભાઈ ભરવાડ, કાળુભાઈ ભરવાડ (રહે.નવાગામવાંટા) વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ચારેયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.