શ્રી પરશુરામ સેના સાવરકુંડલા આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તથા બ્રહ્મચોર્યાસીનું ભવ્યતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 શ્રી સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના આયોજિત સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ તથા બ્રહ્મચોર્યાસી મા સંતો મહંતો અને અમરેલી જિલ્લાના બ્રહ્મ સમાજના તથા વિવિધ શહેરોના બ્રહ્મસમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ સેનાની ટીમ છેલ્લા ત્રણ માસથી રાતદિવસ મહેનત કરી રહીહતી . આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ અગિયાર બ્રહ્મકુમારો આ યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો હતો તેમજ અમરેલી જિલ્લા અને સાવરકુંડલા તાલુકાના 2400 ભૂદેવ પરિવારો સાથે એક પંગતમાં બેશી ભોજન પ્રસાદ લીધું હતું આ સમગ્ર કાર્યક્રમ માં પરશુરામ સેના સાવરકુડલાની ટીમ ખડે પગે રહી હતી

રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા