દિયોદર માર્કેટયાર્ડ સમિતિમાં ચેરમેનપદે બિનહરીફ વરણી કરવામાં આવી,,, દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ચેરમેન પદની ચૂંટણી મંગળવારે દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ દ્વારા ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ માર્કેટ યાર્ડ સમિતિના સદસ્યોની ઉપસ્થિતિમાં વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકની દરખાસ્ત થતા સર્વાનુમતે પુનઃ ઈશ્વરભાઈ તરક ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આ પ્રસંગે ફરી ચેરમેન તરીકે ચૂંટાઈ આવનાર ઇશ્વરભાઈ દ્વારા સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરી આગામી સમયમાં દિયોદર માર્કેટ યાર્ડને વધુ વેગવંતુ બનાવવા ની આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ છેલ્લા એકાદ સપ્તાહથી ચેરમેન પદની ચૂંટણીને લઈને થતા અનેક તર્ક વિતર્કનો સુખદ અંત આવ્યો હતો....