અગમચેતી એજ સલામતી: કમોસમી વરસાદને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા ખેડૂતો જોગ સંદેશ..હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૦૨/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૫/૨૦૨૩ સુધી ગુજરાતમાં માવઠાની અમદાવાદ , આણંદ , બનાસકાંઠા , દાહોદ , ગાંધીનગર , મહેસાણા , પંચમહાલ , પાટણ , સાબરકાંઠા , વડોદરા , છોટા ઉદેપુર , નર્મદા , ભરુચ , ડાંગ , તાપી , સુરત , વલસાડ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના અમરેલી , ભાવનગર , બોટાદ , દ્વારકા , ગીર સોમનાથ , જામનગર , મોરબી , રાજકોટ , સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાં હળવા થી મધ્યમ ગાજ - વીજ સાથે કમોસમી વરસાદ ની આગાહી થયેલ છે . જેથી આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે , તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક , ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી , અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે . એ.પી.એમ.સી. માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા . એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા . આ અંગે વધુ જાણકારી જે તે વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક ( તા.મુ. ) , જિલ્લા ખેતીવાડી અધિકારી , નાયબ ખેતી નિયામક ( તાલીમ ) , અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર - ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો...
नयापुरा आकाशवाणी कोलोनी में दबंगो ने पुरानी रंजिश में युवक पर जानलेवा हमला कर दोनो पैर तोड़े व सिर फोड़ा MBS अस्पताल में भर्ती
शहर के नयापुरा इलाके की आकाशवाणी कॉलोनी में पुरानी रंजिश में युवक पर दबंगो ने हथियारों से जानलेवा...
আই চি ই মাজুলীত প্ৰমাণপত্ৰ বিতৰণ আৰু সম্বৰ্ধনা অনুষ্ঠান সম্পন্নঃ
বিকাশ শইকীয়া, ১৯ ছেপ্টেম্বৰঃ
কম্পিউটাৰ প্ৰশিক্ষণ প্ৰতিষ্ঠান আই.চি.ই.ৰ মাজুলী শাখাৰ পৰা সফলতাৰে...
Lok Sabha Election 2024: Reservation पर छिड़ी सियासी जंग, क्या बोले पक्ष-विपक्ष के नेता? | Aaj Tak
Lok Sabha Election 2024: Reservation पर छिड़ी सियासी जंग, क्या बोले पक्ष-विपक्ष के नेता? | Aaj Tak
Election 2024: Assam के CM Himanta Biswa Sarma के बयान पर Adhir Ranjan का पलटवार | Congress Vs BJP
Election 2024: Assam के CM Himanta Biswa Sarma के बयान पर Adhir Ranjan का पलटवार | Congress Vs BJP